Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે, આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, ”શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 યહોશાફાટ રાજાએ પૂછયું, “જેની મારફતે પ્રભુને પૂછી શકીએ એવો કોઈ સંદેશવાહક અહીં છે?” યોરામ રાજાના એક લશ્કરી અધિકારીએ જવાબ આપ્યો, “શાફાટનો પુત્ર એલિશા અહીં છે. તે એલિયાની સેવામાં રહેતો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાહનો કોઈ પ્રબોધક નથી કે, જેના દ્વારા આપણે યહોવાહને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “શાફાટનો દીકરો એલિશા જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો તે અહીં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?” ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:11
27 Iomraidhean Croise  

હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ નીચે આરામ લો.


એટલે એલિશા તેની પાછળ; ન જતાં પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો. અને બળદના સામાનથી તેમનું માસ બાફીને લોકોને પીરસ્યું, ને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો, ને એની સેવાચાકરી કરી.


પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી કે, આપણે તેને પૂછી જોઈએ?”


અને ત્યાંથી તે કાર્મેલ પર્વત ગયો, ને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.


ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “અફસોસ! કેમ કે યહોવાએ [આપણ] આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે.”


યહોશાફાટે કહ્યું, “એની પાસે યહોવાનું વચન છે.” તે પરથી ઇઝરાયલનો રાજા, ને યહોશાફાટ, તથા અદોમનો રાજા એની પાસે ગયા.


તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.


એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.


એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.”


દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર‍ ચઢાઈ કરીશ નહિ; પણ ચકરાવો ખાઇ તેમની પાછળ જઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.


તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે, આપણે તેની મારફતે સલાહ પૂછીએ?”


અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; [આવું] ક્યાં સુધી [ચાલશે] , તે જાણનાર અમારામાં કોઈ નથી.


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું,


અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)


Lean sinn:

Sanasan


Sanasan