Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે સ્તંભોને ભાંગીને ટુકડેટુકડા કર્યા, અશેરીમનું ખંડન કર્યું, ને તેમની જગાઓમાં માણસોના હાડકાં ભર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 યોશિયા રાજાએ શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખ્યા અને અશેરા દેવીની પ્રતિમાનું ખંડન કર્યું, અને એનાં સ્થાન માણસોનાં હાડકાંથી ભરી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડેટુકડાં કર્યા, અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોનાં હાડકાં ભર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:14
17 Iomraidhean Croise  

તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.


યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે ત્યાં પર્વત પરની કબરો જોઈ. તેણે માણસ મોકલીને તે કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, ને આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે, તેમને વેદી પર બાળીને તેને આશુદ્ધ કરી.


તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર.


પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અશેરા [મૂર્તિઓ] ને કાપી નાખવી.


તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.


કોઈ ધ્યાનમાં લેતો નથી, અને એમ કહેવાને તેનામાં સમજણ તથા બુદ્ધિ નથી કે મેં તેમાંનો અર્ધો ભાગ અગ્નિમાં બાળ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં માંસ શેકીને ખાધું; અને તેના અવશેષની હું અમંગળ વસ્તુ કેમ કરું? શું ઝાડના થડને હું પગે લાગું?


ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.


તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.


અને ખુલ્લા મેદાનમાં જે કોઈ તરવારે મારી નંખાયેલાનો, કે મુડદાનો, કે માણસના હાડકાનો, કે કબરનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


અને કોઈ શુદ્ધ માણસ ઝૂફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર, ને [તેમાંનાં] સર્વ પાત્રો ઉપર, ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર, ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો, કે મરેલાનો, કે કબરનો સ્પર્શ કર્યો હોય, તેના ઉપર તે છાંટે.


ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.


પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


Lean sinn:

Sanasan


Sanasan