Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને મનાશ્શા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને પોતાના ઘરની વાડીમાં એટલે ઉઝઝાની વાડીમાં દાટવામાં આવ્યો.અને તેના દીકરા આમોને તેની જગાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:18
13 Iomraidhean Croise  

આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે બે વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મશુલ્લેમેથ હતું, એ યોટબાના હારુસની દિકરી હતી.


તેને ઉઝઝાની વાડીમાં તેની કબરમાં દાટવામાં આવ્યો; અને તેના દીકરા યોશિયાએ તેની જગાએ રાજ કર્યું.


તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.


તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમા આઠ વર્ષ સુધી રાજ કર્યું. તે લોકોને અપ્રિય થઈ પડ્યો હતો. તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.


તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.


જ્યારે તેઓ તેની પાસેથી ગયા, (તેઓ તેઓ તેને ઘણી બીમાર હાલતમાં મૂકી ગયા, ) ત્યારે તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, પણ તેને રાજાઓના કબરસ્તાનમાં દાટ્યો નહિ.


આહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને યરુશાલેમ નગરમાં દાટ્યો. તેઓ તેને ઇઝરાયલના રાજાઓના કબરસ્તાનમાં લાવ્યા નહિ. તેને સ્થાને તેના પુત્ર હિઝકિયાએ રાજ કર્યું.


હિઝકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને દાઉદના પુત્રોના કબરસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો, યહૂદિયાના તથા યરુશાલેમનાં સર્વ રહેવાસીઓએ તેના અંતકાળે તેને માન આપ્યું, તેનો પુત્ર મનાશ્શા તેની પાછળ રાજા થયો.


મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને4 લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગાએ રાજા થયો.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું.


તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.


યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યાને યહોવાનું વચન આ પ્રમાણે પ્રાપ્ત થયું.


શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan