Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 20:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.”(વળી તેણે મનમાં વિચાર કર્યો, “મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હિઝકિયા રાજાએ એ સંદેશનો એવો અર્થ ઘટાવ્યો કે તેના પોતાના જીવનકાળ દરમ્યાન તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે પ્રત્યુત્તર પાઠવ્યો, “પ્રભુ તરફથી તેં મોકલાવેલો સંદેશ સારો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 20:19
15 Iomraidhean Croise  

તથાપિ તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહિ; પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ.


શિમઈએ રાજાને કહ્યું, “ઠીક કહ્યું, મારા મુરબ્બી રાજાએ જેમ ફરમાવ્યું છે તેમ તમારો દાસ કરશે.” અને શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસ રહ્યો.


હવે હિઝકિયાનાં બાકીનાં કૃત્યો, તેનું બધું પરાક્રમ, ને તે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી લાવ્યો, એ સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


માટે જો, હું તને તારા પોતૃઓની ભેગો મેળવી દઈશ, ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે, ને જે સઘળી વિપત્તિ હું આ જગા પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ, ’” પછી તેઓએ પાછા આવીને રાજાને ખબર આપી.


અને તેણે અહાશ્વેરોશના રાજ્યના એક સો સત્તાવીશ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓ પર શાંતિદાયક પ્રમાણભૂત પત્રો મોકલ્યા


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડયું નહિ; કેમ કે તમે જ એ કર્યું.


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે.


“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”


શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”


Lean sinn:

Sanasan


Sanasan