Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરીને તું અહી થોભ; કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે.” એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યરીખો જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી. ” તેથી તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:4
10 Iomraidhean Croise  

તેના દિવસોમાં બેથેલી હીએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો. અને તેના સૌથી નાના દીકરા સગૂબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે [થયું].


અને એલિયાએ એલિશાને કહ્યું, “કૃપા કરીને તું અહીં થોભ; કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે.” એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” એમ તેઓ બેથેલ ગયા.


છોકરાની માએ કહ્યું, “યહોવાના જીવના તથા તમારા જીવના સમ કે હું તમને મૂકવાની નથી.” તેથી તે ઊઠીને એની પાછળ ગયો.


તે યરીખોમાં થઈને જતા હતા.


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


(હવે ઇઝરાયલી લોકોને લીધે યરીખોને પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહિ, તેમ જ કોઈ અંદર જતું નહિ.)


અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”


ત્યારે રૂથે કહ્યું, “તમને છોડવાની તથા તમારા પાસેથી પાછી જવાની આજીજી મને ન કરો, કેમ જે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની; અને જ્યાં તમે રહેશો ત્યાંજ હું રહેવાની! તમારા લોકો તે મારા લોકો, ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


હાન્‍નાએ કહ્યું, “ઓ મારા મુરબ્‍બી, તારા જીવના સમ, મારા મુરબ્‍બી, જે સ્‍ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઊભી રહેલી તે હું છું.


Lean sinn:

Sanasan


Sanasan