Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 14:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને સમરુનમાં ઇઝરાયલના રાજાઓની સાથે દાટવામાં આવ્યો. તેના દીકરા યરોબામે તેની જગાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયલના રાજાઓ સાથે સમરુનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 14:16
13 Iomraidhean Croise  

જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”


હવે યોઆશનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તેમ જ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરીને જે પરાક્રમ તેણે કરી બતાવ્યું, તે સર્વ ઇઝરાયલનાં રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?


અને યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેના રાજ્યાસન પર યરોબામ બેઠો. અને યોઆશને ઇઝરાયલના રાજાઓની સાથે સમરુનમાં દાટવામાં આવ્યો.


અને યહોઆહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તેઓએ તેને સમરુનમાં દાટ્યો, અને તેના દીકરા યોઆશે તેની જગાએ રાજ કર્યું.


હવે યોઆશે કરેલાં બાકીનાં કૃત્યો, તેનું પરાક્રમ, તથા યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું, તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા ઇઝરયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી પંદર વર્ષ જીવ્યો.,


યહૂદિયાના રાજા યોઆશના દીકરા અમાસ્યાના પંદરમે વર્ષે ઇઝરાયલના રાજા યોઆશનો દીકરો યરોબામ સમરુનમાં રાજ કરવા લાગ્યો. તેણે એકતાળીસ વર્ષ રાજ કર્યું.


હવે યરોબામનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, ને દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાનાં હતાં તે કેવી રીતે તેણે ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં, એ સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇઝરાયલના રાજા યરોબામનાં સમયમાં એઓ સર્વ વંશાવળી પ્રમાણે ગણાયા હતા.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા, તેઓની કારકિર્દીમાં, તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં, યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે.


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


Lean sinn:

Sanasan


Sanasan