Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એલિશા મરણ પામ્યો, ને તેઓએ તેને દાટ્યો. હવે વર્ષ બેસતાં મોઆબીઓની ટોળીઓએ દેશ પર હુમલો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યાર બાદ એલિશાનું મરણ થયું અને તેઓએ તેને દફ્નાવ્યો. હવે વર્ષ શરૂ થતાં મોઆબીઓની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો. વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:20
13 Iomraidhean Croise  

યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


અને તેણે જઈને યહૂદિયાના રાજા યહોશાફાટ પાસે માણસ મોકલીને કહાવ્યું, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. તું મારી સાથે મોઆબ સામે યુદ્ધ કરવા આવશે?” તેણે કહ્યું, “હું આવીશ:જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.”


ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.


તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.


અને તેણે તેમને માટે મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈપી રહ્યા ત્યારે રાજાએ તેઓને વિદાય કર્યા, ને તેઓ પોતાના ધણીની પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના સૈન્યો ઇઝરાયલ દેશમાં આવ્યાં નહિ.


અને અરામીઓ ધાડાબંધ નીકળી પડ્યા હતા, ને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતાં તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા; અને તે નામાનની પત્નીની દાસી થઈ રહી હતી.


પણ આહાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું.


વળી ઇઝરાયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું હતું.


અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.


અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?


Lean sinn:

Sanasan


Sanasan