Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ઈશ્વરભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું, “તારે પાંચ કે છ વખત બાણ મારવાં જોઈતાં હતાં. એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત, પણ હવે તો તું ત્રણ જ વાર અરામને હરાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેથી ઈશ્વરભક્ત એલિશા ગુસ્સે થઈ ગયો અને તેણે રાજાને કહ્યું, “તારે પાંચથી છ વખત બાણો મારવાં જોઈતાં હતાં. કારણ, ત્યારે તો તેં અરામીઓ પર પૂરો વિજય મેળવ્યો હોત; પણ તું હવે તેમને માત્ર ત્રણ વાર હરાવી શકીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ ઈશ્વરભક્તે ગુસ્સે થઈને કહ્યું, “તારે જમીન પર પાંચ થી છ વાર તીર મારવાં જોઈએ. જો તેં એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેઓ પર તું હુમલો કરત, પણ હવે તું અરામ પર ફક્ત ત્રણ જ વાર હુમલો કરી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:19
13 Iomraidhean Croise  

તેણે કહ્યું, “બાણો લે;” અને રાજાએ બાણ લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “જમીન પર માર;” ત્યારે એ ત્રણ વાર મારીને અટક્યો.


જે નગરો હઝાએલના દીકરા બેન-હદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહિઆહાઝના હાથમાંથી લઈ લીધાં હતાં, તે યોઆશે તેના હાથમાંથી પાછા લઈ લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં લઈ લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.


તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”


તેથી તેઓએ તે માણસોને ખાવા માટે પીરસ્યું. અને તે શાક તેઓએ ખાવા માંડ્યું, ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી, “રે ઈશ્વરભક્ત, તપેલામાં તો મોત છે.” અને તેઓ તે ખાઇ ન શક્યા.


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


અને ઈશ્વરભક્તે ઇઝરાયલના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “ખબરદાર, ફલાણી જગાએ થઈને જતો ના; કેમ કે ત્યાં અરામીઓ આવવાના છે.”


જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શાપિત થાઓ, અને જે કોઈ રક્ત પાડતાં પોતાની તરવાર અટકાવી રાખે તે શાપિત થાઓ.


અને મુસાએ પાપાર્થાર્પણના બકરા વિષે ધ્યાન દિઈને તપાસ કરી, તો જુઓ, તે તો બળી ગયો હતો. અને તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ક્રોધાયમાન થઈને કહ્યું,


અને મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો, ને તેણે યહોવાને કહ્યું, “તમે તેઓના અર્પણને ન ગણકારો. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી, ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી.”


પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.


અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.


અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે‍ ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા.


Lean sinn:

Sanasan


Sanasan