Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 13:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એલિશા મરણપથારીએ પડ્યો હતો. ઇઝરયલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો, અને તેને જોઈને રડી પડ્યો, ને કહ્યું, “મારા પિતા, મારા પિતા, ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, “હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 13:14
19 Iomraidhean Croise  

અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.


અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


અને યૂસફ તેના પિતાના મુખ પર પડીને રડયો, ને તેને ચૂમ્યો.


હવે યોઆશનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તેમ જ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરીને જે પરાક્રમ તેણે કરી બતાવ્યું, તે સર્વ ઇઝરાયલનાં રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?


અને યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેના રાજ્યાસન પર યરોબામ બેઠો. અને યોઆશને ઇઝરાયલના રાજાઓની સાથે સમરુનમાં દાટવામાં આવ્યો.


એલિશાએ તેને કહ્યું, “ધનુષ્ય ને બાણો લે;” અને તેણે ધનુષ્ય ને બાણો પોતાના હાથમાં લીધાં.


એલિશાએ તે જોયું, ને તેણે બૂમ પાડી, “મારા બાપ રે, મારા બાપ રે; ઇઝરાયલના રથો તથા તેમના સવારો!” ત્યાર પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનાં વસ્ત્ર પકડીને તે ફાડીને બે ટુકડા કર્યા.


તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ’તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, ને જીવશે નહિ.’”


ઇઝરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું, “હે મારા પિતાજી, હું તેમને મારું? હું તેમને મારું?”


હે યહોવા, બચાવ કરો; ‍ કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે.


પ્રામાણિકની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.


ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે, પણ કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી; અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે, પણ કોઈ સમજતો નથી કે તેઓને [આવતી] વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે.


ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ, એ ત્રણ માણસો તેમાં હોય તોપણ તેઓ પોતાની નેકીથી ફકત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?


કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.


એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


Lean sinn:

Sanasan


Sanasan