Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે યાજકો પોતપોતાના લાગતાવળગતા પાસેથી લે, અને જ્યાં કહીં મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રત્યેક યજ્ઞકારે તેમની સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એ રકમ લેવી અને પ્રભુના મંદિરમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં મરામત માટે એ રકમ વાપરવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:5
14 Iomraidhean Croise  

તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો તેનું કારણ આ હતું; એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો, ને પોતાના પિતા દાઉદના નગરની તૂટફાટ સમરાવતો હતો.


સલાટોને, તથા પથ્થર ટાંકનારાઓને આપ્યા, ને યહોવાના મંદિરની ભાંગતૂટ સમારવા લાકડાં તથા ટાંકેલા પથ્થર ખરીદ કરવા માટે, મંદિરની મરામત પેટે જે સર્વ ખરચ થયો હોય તેને માટે ગણી આપ્યા.


યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,


પણ યોઆશ રાજાના ત્રેવીસમાં વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગતૂટ સમારી નહોતી.


“તું મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા કે, જે પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવ્યા છે, જે દ્વારરક્ષકોએ લોકો પાસૅથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે.


ત્યારે પિતૃઓનાં [કુટુંબોના] સરદારોએ, ઇઝરાયલનાં કુળોના સરદારોએ એટલે સહસ્રાધિપતિઓએ, સત્તાધિપતિઓએ, તથા રાજાના કામ પરના મુકાદમોએ રાજીખુશીથી અર્પણ કર્યાં.


તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “તમે યહૂદિયાનાં નગરોમાં ફરીને તમારા ઈશ્વરના મંદિરને વરસોવરસ સમારવા માટે સર્વ ઇઝરાયલીઓ પાસેથી પૈસા ઉઘરાવો, ને તે કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.


કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું મંદિર ભાંગી નાખ્યું હતું, અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની સેવાના કામમાં લીધી હતી.


તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.


જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.


“ઇઝરાયલી, લોકને એમ કહે કે, જો કોઈ માણસ ખાસ માનતા લે તો તારા ઠારાવેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવા માટે [માન્ય] થશે.


જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમ જ પશુ તારું થાય; પણ માણસના પ્રથમજનિતને તારે નક્કી છોડાવી લેવો, ને અશુદ્ધ જાનવરોના પહેલા બચ્ચાને તારે છોડાવી લેવું.


Lean sinn:

Sanasan


Sanasan