Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હવે યોઆશના બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 યોઆશનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:19
10 Iomraidhean Croise  

હવે સુલેમાનની બાકીની બાબતો, ને તેણે જે સર્વ કર્યું તે, ને તેનું જ્ઞાન, એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી શું?


યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, એ જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.


હવે રહાબામનાં બાકીના કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


પછી યહોવાના મંદિરના ભંડારમાં બાકી રહેલું બધું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેને દમસ્કસમાં રહેનારા અરામના રાજાની, એટલે હેઝયોનના દીકરા ટાબ્રિમ્મોનના દીકરા બેન-હદાદની પાસે મોકલીને કહાવ્યું,


એથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે, તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમ જ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યા; એટલે તે યરુશાલેમથી જતો રહ્યો.


અને તેના ચાકરોએ ઊઠીને કાવતરું કર્યું, ને યોઆશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો.


પછી આહાઝે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આશૂરના રાજાને ભેટ દાખલ મોકલ્યું.


જે બધું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું, તે હિઝકિયાએ [તેને] આપ્યું.


તે સમયે યહૂદિયાના રાજા હિઝકિયાએ યહોવાના મંદિરના કમાડો [પરથી] , તથા પોતે મઢેલા સ્તંભો [પરથી સોનું] ઉખેડી લઈને આશૂરના રાજાને આપ્યું.


અને યહોરામના બાકીનાં કૃત્યો, ને તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


Lean sinn:

Sanasan


Sanasan