Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને તેમને કહ્યું, “તેને બહાર કાઢીને સિપાઈઓની હારોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તરવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાના મંદિરમાં મારી નાખવી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 યહોયાદા અથાલ્યાને પ્રભુના મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો, તેથી તેણે શતાધિપતિઓને હુકમ કર્યો, “તેને સંરક્ષકોની બે હારમાં થઈને બહાર લઈ જાઓ, અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે તેને મારી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, “તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:15
10 Iomraidhean Croise  

તેણે જોયું તો, જુઓ રિવાજ પ્રમાણે રાજા બાજઠ પર ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડા [વગાડનારા] રાજાની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સવ કરતા હતા, ને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાના વસ્ત્ર ફાડીને બૂમ પાડી, “વિદ્રોહ! વિદ્રોહ!”


માટે તેઓએ તેને માર્ગ આપ્યો. અને ઘોડાના અંદર આવવાને રસ્તે થઈને તે રાજા મહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.


સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો.


યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું, “તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો; અને જે કોઈ તેની પાછળ જાય, તેને તરવારથી મારી નાખો.” યાજકે તેઓને કહ્યું હતું, “યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહિ.”


દાઉદ રાજાના ભાલા તથા નાનીમોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતાં તે યહોયાદા યાજકે શતાધિપતિઓને આપ્યાં.


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


એ માટે, હે મનુષ્યપુત્ર, તુ ભવિષ્ય કહે, ને તારા હાથથી તાળીઓ પાડ; અને પ્રાણઘાતક ઘા કરનારી તરવારને ત્રણગણી [તેજ] કર. એ તો મોટા માણસને પ્રાણઘાતક ઘા કરનારી તરવાર છે, એ તો તેમને ચોતરફથી ઘેરે છે.


તેણે તેઓને કહ્યું, “મંદિરને ભ્રષ્ટ કરો, ને લાસોથી તેનાં આંગણાં ભરી કાઢો; નીકળી પડો, ” તેઓએ નીકળી પડીને નગરમાં કતલ ચલાવી.


ત્યારે આખું શહેર ખળભળી ઊઠ્યું, અને લોકો દોડીને એકઠા થઈ ગયા; અને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan