Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 12:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે જો હું અભિમાન કરવાની ઇચ્છા રાખું, તો હું મૂર્ખ ઠરું નહિ; કેમ કે હું સાચું બોલું છું; પણ કોઈ પણ માણસ મને જેવો જુએ, અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જો હું ગર્વ કરવાનું વિચારું, તો હું મૂર્ખ નથી, કારણ, હું સત્ય જણાવું છું. તેમ છતાં હું ગર્વ નહિ કરું; કારણ, મને સાંભળનાર ને મારું કાર્ય જોનાર મારે વિષે જે મંતવ્ય ધરાવતો હોય તેથી તે વિશેષ ધરાવે એવું હું ઇચ્છતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 12:6
12 Iomraidhean Croise  

જો એમ ન હોય તો મને જૂઠો પાડનાર, તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે?”


હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,


તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].


પણ ઈશ્વરના વિશ્વાસુપણાની [પ્રતિજ્ઞા લઈને હું કહું છું] કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું.


હું ફરીથી કહું છું કે, કોઈએ મને મૂર્ખ ન ધારવો. પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડુંએક અભિમાન કરું.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.


હું [અભિમાન કરીને] મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


કેમ કે જો અમે ઘેલા હોઈએ, તો તે ઈશ્વરને અર્થે છીએ. અથવા જો સજાગ હોઈએ, તો તે તમારે અર્થે છીએ.


માટે જો મેં તમારે વિષે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય, તો તેથી હું શરમાતો નથી. પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી, તેમ જે અભિમાન અમે તિતસની આગળ કર્યું તે અમારું [અભિમાન] સાચું પડયું.


Lean sinn:

Sanasan


Sanasan