Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેના ભાઈઓ, એટલે યહોશાફાટના પુત્ર અઝાર્યા, મિખાએલ તથા શફાટ્યા હતાં. એ સર્વ ઇઝરાયલના રાજા યહોશાફાટના પુત્રો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યહૂદિયાના રાજા યહોશાફાટના પુત્ર યહોરામને છ ભાઈઓ હતા: અઝાર્યા, યહિયેલ, ઝખાર્યા, અઝાર્યાહૂ, મિખાયેલ અને શફાટયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા,

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 21:2
10 Iomraidhean Croise  

ત્યારે ઇઝરાયલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, “યહોવા ન્યાયી છે.”


હવે યહોરામે પોતાના પિતાના રજ્યાસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાંક સરદારોને પણ તરવારથી મારી નાખ્યાં.


તેઓએ યહૂદિયાના સ્થળે સ્થળે ફરીને યહૂદિયાના સર્વ નગરોમાંથી લેવીઓને તથા ઇઝરાયલના પિતૃઓના [કુટુંબોનાં] મુખ્ય માણસોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.


તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.


તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “તમે યહૂદિયાનાં નગરોમાં ફરીને તમારા ઈશ્વરના મંદિરને વરસોવરસ સમારવા માટે સર્વ ઇઝરાયલીઓ પાસેથી પૈસા ઉઘરાવો, ને તે કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.


ઇઝરાયલના રાજા આહાઝને લીધે યહોવાએ યહૂદિયાને નમાવ્યું, કેમ કે તે યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો, ને યહોવાની આજ્ઞાનું ઘણું ઉલ્લંઘન કર્યું હતું.


કેમ કે દમસ્કસના જે દેવો તેના પર આફત લાવ્યા હતા તેઓને તેણે બલિદાન આપ્યાં. તેણે કહ્યું, “અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે, જેથી તેઓ મને સહાય કરે.” પણ તેઓથી તો તેનું તથા આખા ઇઝરાયલનું સત્યાનાશ વાળ્યું.


આહાઝ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને યરુશાલેમ નગરમાં દાટ્યો. તેઓ તેને ઇઝરાયલના રાજાઓના કબરસ્તાનમાં લાવ્યા નહિ. તેને સ્થાને તેના પુત્ર હિઝકિયાએ રાજ કર્યું.


મનાશ્શાનાં બાકીના કૃત્યો, તેણે પોતાના ઈશ્વરની આગળ કરેલી પ્રાર્થના, ઇઝરાયલના ઈશ્વર યહોવાને નામે પ્રબોધકોને તેની આગળ ઉચ્ચારેલાં વચનો તે સર્વ ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.


શમુએલ પ્રબોધકના સમયથી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ એક પણ પાળવામાં આવ્યું નહોતું. તેમ જ જેવું યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર થયેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના રહેવાસીઓએ પાળ્યું, તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan