Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને કહાવ્યું, “તમે મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યા, ને તેમને મહેલ બાંધવા માટે એરેજવૃક્ષો મોકલી આપ્યાં હતાં. [તેમ જ તમે મારી સાથે વર્તજો.]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 2:3
18 Iomraidhean Croise  

અને તૂરના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા. તે સાથે એરેજવૃક્ષો, સુતારો તથા સલાટો [પણ] મોકલ્યા. અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું.


જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવાને તેની પાસે સંદેશિયા સાથે એરેજકાષ્ટ તથા કડિયા ને સુતારો મોકલ્યાં,


તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોનારૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાની હૈયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દહનીયાર્પણો ચઢાવતા હતા.


સુલેમાને ઈશ્વરના મંદિરના સર્વ પાત્રો, વેદી તથા અર્પિત રોટલીની મેજો ચોખ્ખા સોનાની બનાવી.


દરરોજના કાર્યક્રમ પ્રમાણે સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ, એટલે વર્ષમાં ત્રણ વાર, બેખમીર રોટલીના પર્વમાં સપ્તાહોના પર્વમાં, તથા માંડવાઓના પર્વમાં મૂસાની આજ્ઞા પ્રમાણે તે અર્પણ કરતો.


તેમાં આ પ્રમાણે લખેલું હતું: “કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે, યરુશાલેમમાંના ઈશ્વરના મંદિર વિષે [હુકમ છે કે] જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું, તેના પાયા મજબૂત નાખવા. તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી.


નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી].


અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ.


હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે:તું રોજ રોજ પહેલા વર્ષના બે હલવાન હમેશને ચઢાવ.


એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.


અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.


અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.


પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.


અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;


અને વિશ્રામવારે પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન, ને ખાદ્યર્પણને માટે તેલે મોહેલો બે દશાંશ [એફાહ] મેંદો તથા તેનું પેયાર્પણ.


Lean sinn:

Sanasan


Sanasan