Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, “પલિસ્તીઓના સરદારોની સંખ્યા [પ્રમાણે] સોનાની પાંચ ગાંઠો ને સોનાના પાંચ ઉંદરો; કેમ કે તમો સર્વને તથા તમારા સરદારોને એક જ [જાતનો] રોગ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?” તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 6:4
10 Iomraidhean Croise  

અને ઇઝરાયલી લોકોએ મૂસાના કહેવા પ્રમાણે કરીને મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્‍ત્રો માંગી લીધાં.


મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી [જે ભૂમિ] કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;


પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્‍ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો.


[એટલે] પલિસ્તીઓના પાંચ સરદારો, તથા સર્વ કનાનીઓ, તથા સિદોનીઓ, ને બાલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી, લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.


જે માણસો મરી ગયા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી; અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.


પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.


તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.


માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો, ને તમારા જે ઉંદરો દેશમાં રંજાડ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો. અને ઇઝરાયલના ઈશ્વરને મહિમા આપો. કદાચ તમારા પરથી, તમરા દેવો પરથી, ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે.


પછી યહોવાનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો; અને જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેમની પ્રત્યે મોકલો છો, તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો, અને તેને જવા દો કે, તે જાય.


Lean sinn:

Sanasan


Sanasan