Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 6:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને બેથ-શેમેશના માણસોએ યહોવાના કોશમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઈશ્વરે બેથ-શેમેશના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ ઈશ્વરના કોશમાં જોયું, તેમણે પચાસ હજાર અને સિત્તેર માણસોને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો, કેમ કે ઈશ્વરે તેમને મારીને મોટો સંહાર કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જ્યારે પવિત્રકોશ બેથ-શેમેશ પહોચ્યો, તો સામાંન્ય લોકોએ તે જોયું ત્યાં કોઇ યાજક ન હતા, તેથી યહોવા ગુસ્સે થયા અને 50,070 લોકોને માંરી નાખ્યા. બેથ-શેમેશનાં લોકો રડ્યા અને શોક મનાવ્યો; કેમકે દેવે તેમને બહું કઠોર રીતે સજા કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 6:19
14 Iomraidhean Croise  

અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.


માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી. અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામસામે મળ્યાં.


અને યહોવાએ મૂસાને કહ્યું, “નીચે ઊતરીને લોકોને મના કર, રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે, ને તેઓમાંના ઘણા નાશ પામે.


અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો; અને કોઈએ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ.


અને મંડપને આગળ ચાલવાનો વખત થાય, ત્યારે લેવીઓ તેને પાડે; અને મંડપ ચોઢવાનો હોય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


“લેવીઓમાંથી કહાથીઓનાં કુટુંબોના કુળને બાતલ ન કરો.


પણ તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને એક પળ પણ અંદર ન જાય, રખેને તેઓ માર્યા જાય.”


મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે, તેને જે દર્શનો થયાં છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાશ મારે છે;


કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં તેનો આરંભ થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે?


Lean sinn:

Sanasan


Sanasan