Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દાઉદે તેને કહ્યું, “તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” તેણે કહ્યું, “જો તમે ઈશ્વરના સોગન ખાવ કે તમે મને મારી નહિ નાખો, અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહિ દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દાઉદે તેને પૂછયું, “તું મને એ હુમલા-ખોરો પાસે લઈ જશે?” તે યુવાને ઉત્તર આપ્યો, “જો તમે મને દેવના સોગંદ ખાઈને વચન આપો કે તમે મને માંરી નહિ નાખો, અથવા માંરા ધણીને નહિ સોંપી દો, તો હું તમને ત્યાં લઈ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:15
12 Iomraidhean Croise  

અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


તેણે રાજાનાં કુટુંબમાંના એક માણસની સાથે કોલકરાર કર્યા. વળી તેણે તેની પાસે સોગન ખવડાવ્યા.


પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.


માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.


અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.


બાતમીપારોએ એક માણસને તે નગરમાંથી આવતો જોયો. તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમને નગરમાં પેસવાનો માર્ગ બતાવ, ને અમે તારા પર કૃપા કરીશું.”


ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા યહોવાના સમ, તું પ્રમાણિકપણે વર્ત્યો છે, સૈન્યમાં મારી સાથે તારું જવું આવવું એ મારી દષ્ટિમાં સારું છે! કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ જ દુષ્ટતા માલૂમ પડી નથી. પરંતુ સરદારોની કૃપા તારા પર નથી.


અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર, તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, ને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું.”


અને તે દાઉદને ત્યાં લઈ ગયો ત્યારે, જુઓ, તે લોક આખા મેદાન પર આમતેમ પડેલા હતા, ને ખાતાપીતા તથા મિજબાની કરતા હતા, કેમ કે પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કરળ લૂટ મેળવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan