Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 કારણ વગર રક્તપાત કરવાનો કે, મારા મુરર્બ્બીએ પોતાનું વેર વાળવાનો ખેદ કે મનસંતાપ મારા મુરબ્બીને થશે નહિ. જ્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આ આપની દાસીને યાદ કરજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 ત્યારે તમારે કોઈને વિના કારણ મારવા વિષે અથવા તમારું વેર લેવા માટે દુ:ખી થવાનું કે પસ્તાવો કરવાનો રહેશે નહિ. મહોદય, પ્રભુ તમારું ભલું કરે ત્યારે મને તમારી સેવિકાને ભૂલશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તમે નિર્દોષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:31
13 Iomraidhean Croise  

પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો.


એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે,


હે બદલો વાળનાર ઈશ્વર, યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.


તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.”


ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.


માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


આપને વિષે જે સર્વ હિતવચનો યહોવા બોલ્યા છે તે પ્રમાણે તેમણે મારા મુરબ્બીને માટે કર્યું હશે, ને ઇઝરાયલ પર આપને અધિકારી ઠરાવ્યા હશે ત્યારે એમ થશે કે,


વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે.


દાઉદના ચાકરોએ કાર્મેલમાં અબિગાઇલની પાસે જઈને તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા મોકલ્યા છે.”


યહોવા પ્રત્યેક માણસને ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે, કેમ કે યહોવાએ તમને આજે મારા હાથમાં સોંપી દીધા હતા, છતાં મેં યહોવાના અભિષિક્ત પર મારો હાથ ઉગામવાની ઇચ્છા કરી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan