Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો. એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:1
20 Iomraidhean Croise  

ને હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓને, અરણ્ય પાસેના એલપારાન સુધી મારતા ગયા.


અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.


અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.


અને તે દેશના કનાની રહેવાસીઓએ આટાદની ખળીમાં તે વિલાપ જોયો, ત્યારે તેઓ બોલ્યા, “આ તો મિસરીઓનો મોટો વિલાપ છે.” એ માટે તેનું નામ આબેલ-મિસરાઇમ કહેવાય છે, ને તે યર્દનને પેલે પાર છે.


ત્યારે યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. અને તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દાટવામાં આવ્યો.


અને મનાશ્શા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને પોતાના ઘરની વાડીમાં એટલે ઉઝઝાની વાડીમાં દાટવામાં આવ્યો.અને તેના દીકરા આમોને તેની જગાએ રાજ કર્યું.


મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને4 લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગાએ રાજા થયો.


મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે.


તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?


અને ઇઝરાયલી લોકો સિનાઈના અરણ્યમાંથી પોતાની કૂચ પર ચાલી નીકળ્યા. અને પારાનના અરણ્યમાં મેઘ થોભ્યો.


અને પછી લોકોએ હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.


અને તેઓ ચાલીને મૂસા તથા હારુનની પાસે, તથા ઇઝરાયલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં, કાદેશમાં આવ્યા. અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી, ને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.


અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા.


અને સમગ્ર પ્રજાએ જોયું કે હારુન મરી ગયો, ત્યારે તેઓએ એટલે ઇઝરાયલના આખા ઘરનાંએ, હારુનને લીધે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.


અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,


મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.


હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.


અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો; અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી.


Lean sinn:

Sanasan


Sanasan