Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને દાઉદે યોનાથાનને કહ્યું, “જો, કાલે અમાસ છે, ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી. પણ મને [હમણાં] જવા દે કે ત્રીજા દિવસની સાંજ સુધી હું સીમમાં સંતાઈ રહું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદે જવાબ આપ્યો, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને મારે રાજા સાથે જમવું પડે તેમ છે, પણ તું મને પરમદિવસ સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહેવાની રજા આપ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દાઉદે યોનાથાનને કહ્યું, “જો કાલે અમાસ છે, મારે રાજાની સાથે ભોજન પર બેસવા સિવાય ચાલે એમ નથી. પણ મને જવા દે, કે જેથી ત્રીજા દિવસની સાંજ સુધી હું ખેતરમાં સંતાઈ રહું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દાઉદે કહ્યું, “આવતી કાલે અમાંસનો પર્વ છે. આ ઉજવણી ના દિવસે માંરે રાજા સાથે જમવાનું હોય છે, પણ હવે ખેતરમાં છુપાવા દો અને બીજે દિવસ પણ ત્યાં રહીશ. પહેલાં હું આ ઉત્સવમાં હંમેશા તારા પિતા પાસે રહેતો હતો, પણ આવતી-કાલે હું સીમમાં સંતાઈ રહીશ અને ત્રીજા દિવસની સાંજ સુધી હું ત્યાં જ રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:5
17 Iomraidhean Croise  

તેણે પૂછ્યું, “તું આજે શા માટે તેમની પાસે જાય છે? આજ અમાવાસ્યા નથી, તેમ સાબ્બાથ પણ નથી.” એણે કહ્યું, બધું ઠીક થશે.”


કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત.


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


ડાહ્યો માણસ હાનિ [આવતી] જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.


“ચંદ્રદર્શન ક્યારે વીતે કે અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ [ક્યારે ઊતરે] કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ? અને એફાહ નાનો રાખીને ને શેકેલ મોટો રાખીને, ને ખોટાં ત્રાજવાંકાટલાંથી ઠગાઈ કરીને,


અને તમારા ઉત્સવને દિવસે ને તમારાં ઠરાવેલા પર્વોએ, ને તમારા માસોના આરંભમાં, તમે તમારાં દહનીયાર્પણો પર તથા તમારાં શાંત્યર્પણોના યજ્ઞ પર રણશિંગડાં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારા માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો ઈશ્વર છું.


અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;


ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.


ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્રકિનારે મોકલી દીધો. પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.


એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે.


પણ શાઉલનો દીકરો યોનાથાન તેના પર ફિદા હતો. અને યોનાથાને દાઉદને ખબર આપી, “મારો પિતા શાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે; માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે, ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે;


પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે, અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.


અને ત્રણ દિવસ રહ્યા પછી જલદી નીચે ઊતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતઅઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પથ્થર પાસે તું [સંતાઈ] રહેજે.


એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો. અને અમાસ આવી ત્યારે રાજા જમવા બેઠો.


અને અમાસ પછીના દિવસે એટલે બીજે દિવસે પણ એમ બન્યું કે દાઉદની બેઠક ખાલી હતી. તેથી શાઉલે પોતાના દીકરા યોનાથાનને પૂછ્યું, “યિશાઈનો દીકરો કેમ જમવા આવતો નથી, કાલે નહિ, તેમ આજે પણ નહિ?”


ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, “જે કંઈ તારા જીવની ઇચ્છા હોય તે હું તારે માટે કરીશ.” ત્યારે યોનાથાને દાઉદને કહ્યું, “જે કંઈ તારા જીવની ઇચ્છા હોય તે હું તારે માટે કરીશ.”


જો મારી ગેરહાજરી તારા પિતાની નજરમાં આવે, તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં તેના આખાઅ કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.


Lean sinn:

Sanasan


Sanasan