Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને યોનાથાને પોતાના પિતા શાઉલને ઉત્તર આપીને કહ્યું, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 યોનાથાને જવાબ આપ્યો, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યોનાથાને પોતાના પિતા શાઉલને જવાબ આપ્યો, “કયા કારણોસર તેને મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 અને યોનાથાન તેના પિતા શાઉલ પાસે આવ્યો અને કહ્યું, “શા માંટે આપણે તેને માંરી નાખવો જોઈએ? તેણે શું કર્યુ છે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:32
17 Iomraidhean Croise  

અને યાકૂબને‍ રોષ ચઢયો, ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો; અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “મારો શો અપરાધ? અને મારું શું પાપ કે તું મારી પાછળ લાગ્યો છે?


ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર;


ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.


સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


હ્રદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે! તેને કોણ જાણી શકે?


ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો.”


તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી; માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.”


“માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્‍ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?”


અને શાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેણે કહ્યું, “હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ.” અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો.


અને યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું, “રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, ને તમારે માટે તેનાં કામ બહુ સારાં થતાં આવ્યાં છે:


કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લ ઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો, ને યહોવાએ સર્વ ઇઝરાયલને માટે મોટી ફતેહ મેળવી. તમે તે જોયું, ને તમને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ [માણસનું] લોહી વહેવડાવીને શા માટે તમારે અપરાધ કરવો?”


દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો શો અન્યાય છે? અને તારા પિતા આગળ મારું શું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”


જો તે કહે કે, ઠીક છે; તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ગુસ્‍સે થાય, તો જાણજે કે તેમણે ભૂડું કરવાનો નિશ્ચય કર્યો છે.


ત્યારે અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે, ને જે તમારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકરોમાં કોણ છે?


Lean sinn:

Sanasan


Sanasan