Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને, તેઓને રાજકુમારોની સાથે સિંહાસન પર બેસાડે છે, અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:8
31 Iomraidhean Croise  

અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો.


તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.”


તો હવે મારા સેવક દાઉદને એમ કહે, ‘સૈન્યોના યહોવા આમ કહે છે, કે મારા લોક પર એટલે ઇઝરાયલ પર અધિકારી થવા માટે મેં તને મેંઢવાડામાંથી, ઘેટાં પાછળ તું ભટકતો હતો ત્યાંથી બોલાવી લીધો છે.


“મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર અધિકારી ઠરાવ્યો. પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે, ને તેં મારા ઇઝરાયલ લોક પાસે પાપ કરાવીને તેમનાં પાપથી મને રોષ ચઢાવ્યો છે.


ત્યારે એ ઊઠીને ઘરમાં ગયો. જુવાને યેહૂના માથા પર તેલ રેડીને એને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે, ‘મેં તને યહોવાના લોક પર, એટલે ઇઝરાયલ પર, રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા માટે રાખમાં બેઠો.


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે.


તોયે તે કંગાલોને સંકટમાંથી કાઢીને ચઢતીમાં લાવે છે, અને તેનાં કુટુંબોને ટોળાની માફક વધારી દે છે.


કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.


પૃથ્વી તથા તેની બધી વસતિ ક્ષય પામે ત્યારે હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)


મેં વડાઈ કરનારાઓને કહ્યું, “વડાઈ કરશો નહિ;” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ;”


પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.


કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો, તોપણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો.


હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ; અને તે પોતાના પિતાના કુટુંબને માટે માનનું સ્થાન થશે.


પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો.


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


દાનિયેલ તો બીજા સરસૂબાઓ તથા સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું; અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો હતો.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકો [નું] રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમીન.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”


શમુએલે કહ્યું, “તું તારી દષ્ટિમાં તુચ્છ જેવો હતો, તોપણ તને ઇઝરાયલનાં કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહિ શું? અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો,


Lean sinn:

Sanasan


Sanasan