Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું, “તમારે દાઉદને મારી નાખવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:1
10 Iomraidhean Croise  

અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.


તેઓએ ઈશ-બોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું, “તારો શત્રુ શાઉલ જે તારો જીવ લેવા શોધતો હતો તેના પુત્ર ઈશ-બોશેથનું માથું જો [આ રહ્યું]. આજે યહોવાએ મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે.”


અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.


પછી શાઉલે કહ્યું, “તમારે દાઉદને એમ કહેવું કે, રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે પલિસ્તીઓના એકસો અગ્રચર્મ [જોઈએ છે].” હવે શાઉલનો ઇરાદો એવો હતો કે પલિસ્તીઓના હાથે દાઉદ માર્યો જાય.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


એથી શાઉલને ઘણો ક્રોધ ચઢ્યો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, “દાઉદને તેઓએ દશ સહસ્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્રનુમ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”


તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો.


પણ શાઉલનો દીકરો યોનાથાન તેના પર ફિદા હતો. અને યોનાથાને દાઉદને ખબર આપી, “મારો પિતા શાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે; માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે, ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે;


દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો શો અન્યાય છે? અને તારા પિતા આગળ મારું શું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”


અને ત્રણ દિવસ રહ્યા પછી જલદી નીચે ઊતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતઅઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પથ્થર પાસે તું [સંતાઈ] રહેજે.


Lean sinn:

Sanasan


Sanasan