Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે તેઓને કહ્યું, “યહોવા તમારી સામે સાક્ષી છે, ને આજે તેમનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી.” ત્યારે તેઓએ કહ્યું, “તે સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 શમુએલે જવાબ આપ્યો, “આજે હું તમને તદ્દન નિર્દોષ માલૂમ પડયો છું. પ્રભુ અને તેમણે પસંદ કરેલ રાજા તમારા સાક્ષી છે.” તેમણે કહ્યું, “તે તમારા સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે શમુએલે તેમને કહ્યું, “યહોવા અને તેણે પસંદ કરેલો રાજા આજે એ વાતના સાક્ષી છે કે, તમને માંરામાં કોઈ દોષ જડતો નથી.” લોકોએ કહ્યું, “હા, યહોવા સાક્ષી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:5
14 Iomraidhean Croise  

જો તું મારી દીકરીઓને દુ:ખ આપે, અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી પાસે જે છે તે માણસ નથી, જો, મારી ને તારી વચ્ચે ઈશ્વર સાક્ષી છે.”


જુઓ, હમણાં જે મારો સાક્ષી આકાશમાં છે, અને મારો સાક્ષી ઉચ્ચસ્થાને છે.


અયૂબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલિફાઝ તેમાનીને કહ્યું “તારા પર તથા બે મિત્રો પર મારો કોપ સળગી ઊઠયો છે; કેમ કે જેમ મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ તમે મારા વિષે ખરું બોલ્યા નથી.


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


જો ચોરેલી વસ્‍તુ તેના કબજામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય, કે ગધેડું હોય, કે ઘેટું હોય, તો તે બમણું ભરી આપે.


પિલાત તેમને કહે છે, સત્ય શું છે?” એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો, અને તેઓને કહે છે, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”


ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્‍ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


નહિ તો આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં શો દોષ તેઓને માલૂમ પડ્યો હતો.


જો કે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ છે.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, કે અમારા પર જુલમ કર્યો નથી કે, કોઈ માણસની પાસેથી તેં કંઈ લીધું નથી.”


દાઉદે અબીશાયને કહ્યું. “તેનો નાશ ન કર. કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan