Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર.” તું તેને દૂધ છોડાવે ત્યાં સુધી રાહ જો; એટલું જ કે ઈશ્વર પોતાનું વચન પરિપૂર્ણ કરો.” માટે તે સ્ત્રી ત્યાં રહી અને પોતાના દીકરાનું દૂધ છોડાવ્યું ત્યાં સુધી તેનું પોષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:23
12 Iomraidhean Croise  

હવે, હે યહોવા ઈશ્વર, જે વચન તમે તમારા સેવક વિષે તથા તેના ઘર વિષે ઉચ્ચાર્યું છે, તે સદાને માટે કાયમ કરો, ને તમારા બોલ્યા પ્રમાણે કરો.


સવારમાં હું મારા દીકરાને ધવડાવવા ઊઠી, ત્યારે તો, જુઓ, તે મૂએલો હતો; પણ મેં તેને સવારે ધ્યાન દઈને જોયો, તો જુઓ, તે મારે પેટે જન્મેલો મારો દીકરો નહોતો.”


પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.


તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;


પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય, તો તેની માનતા વિષે કે તેના પ્રાણના બંધન વિષે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહિ. તેના પતિએ તે રદ કર્યાં છે; અને યહોવા તેને ક્ષમા કરશે.


અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય, તથા જેઓ ધવડાવતી હોય, તેઓને અફસોસ છે.


તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્‍ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!”


ત્યારે એલીએ ઉત્તર આપ્યો, “શાંતિએ જા; તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.”


શાઉલે કહ્યું, “આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ, ને સવારે અજવાળું થતાં સુધી તેઓને લૂટીએ, ને તેઓમાંથી એક પણ માણસને રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.” ત્યારે યાજકે કહ્યું, “આપણે અહીં ઈશ્વરની હજૂરમાં એકત્ર થઈએ.”


ત્યારે તેણે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” અને લોકોએ શાઉલને કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan