Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જેમનો પૂરો નાશ ઇઝરાયલીઓ કરી શકેલા નહિ, તેઓમાંથી બચી રહેલા સર્વ લોકનાં વંશજો જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર વેઠ નાખી, જે આજ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શકયા નહોતા તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓ તેમના વંશજો હતાં, ઇસ્રાએલીઓ જેમનો સંપૂર્ણ નાશ કરી શકયા નહોતા. સુલેમાંને તેમને બળજબરીથી ગુલામ મજૂર બનાવી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:21
23 Iomraidhean Croise  

સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી વેઠ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર ત્રીસ હજાર માણસનું હતું.


યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી.


સુલેમાને અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જેઓ ઇઝરાયલ લોકોમાંના ન હતાં,


ઈઝરાયલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી, અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે કામે લગાડ્યા.


તેઓનાં વંશજોમાંના કેટલાંક તેઓની પાછળ દેશમાં બચી રહ્યા હતાં, અને જેઓનો ઇઝરાયલી લોકોએ નાશ કર્યો નહોતો, તેઓને માથે સુલેમાને વેઠ નાખી; અને આજ સુધી એમ જ છે.


પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.


સુલેમનના સેવકોના પુત્રો:સોટાયના પુત્રો, સોફેરેથના પુત્રો, પરીદાના પુત્રો;


ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે; પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે.


અને એમ થશે કે, જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે માટે દરવાજા ખોલી દે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તને છૂટકાની રકમ આપીને તારા દાસ થાય.


અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.


અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.


તોપણ મનાશ્શાપુત્રો તે નગરો [ના રહેવાસીઓ] ને કાઢી મૂકી ન શક્યા; પણ કનાનીઓ તો તે પ્રાંતમાં રહ્યા.


અને એમ થયું કે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓને માથે વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી ન મૂક્યા.


પણ બિન્યામીનપુત્રોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરુશાલેમમાં રહ્યા છે.


અમોરીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી તથા ખડકથી ઉપર ગઈ.


તેથી ઇઝરાયલ પર યહોવાનો રોષ ચઢ્યો. અને તેમણે કહ્યું, “મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી.


હવે ઇઝરાયલી લોકોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને,


Lean sinn:

Sanasan


Sanasan