Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે;’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારાં દેશમાં તેઓ તમારી આગળ વિનંતી કરીને કહે ‘અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કામ કર્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, ‘હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે.’

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:47
23 Iomraidhean Croise  

જ્યારે તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે, તમારું નામ કબૂલ કરે, ને આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના તથા યાચના કરે;


તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરે ને તેઓની ગુલામગીરીના દેશમાં પસ્તાવો કરીને તમારી યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે વિપરીત રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટતા કરી છે;’


ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.


અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે, અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે.


ત્યારે તું તારી મોટી તથા નાની બહેનોનો અંગીકાર કરશે, અને તને તારાં આચરણ યાદ આવશે ને તું લજવાશે. અને તારી સાથે કરેલા કરારમાં નથી, તોપણ હું તેઓને તારી દીકરીઓ તને તને આપીશ.


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


અને તેઓ મિસ્પામાં એક્ત્ર થયા, ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે ઉપવાસ કર્યો, ને ત્યાં કહ્યું, “અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને શમુએલે મિસ્પામાં ઇઝરાયલી લોકોનો ન્યાય કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan