Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તેઓએ તમારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય, ને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે, ને તમારું નામ કબૂલ કરે, ને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 “તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 “તમાંરા લોકો ઇસ્રાએલીઓ દ્વારા તમાંરી વિરુદ્ધ પાપ કરવાને લીધે આકાશમાંથી વરસાદ ન વરસે, અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તમાંરું નામ લે, અને તમાંરી સજા પામીને પશ્ચાતાપ કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:35
30 Iomraidhean Croise  

દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે, હે યહોવા કૃપા કરીને તમારા સેવકની દુષ્ટતા દૂર કરો; કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે.”


માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, “તમારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ પડે? અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે ત્રણ માસ સુધી તેઓથી નાસતા ફરો? અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કરો, ને જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો.”


ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


જ્યારે તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે, તમારું નામ કબૂલ કરે, ને આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના તથા યાચના કરે;


તો તે તમે આકાશમાં સાંભળીને તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, ને જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.


જો તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય; અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના ઈશ્વર તરીકે તમને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તમારી પ્રાર્થના તથા યાચના કરે;


જ્યારે તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન વરસે, તે વખતે જો તેઓ આ સ્થળ તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે ને તમારા નામનું સ્મરણ કરે, [આ પ્રમાણે] જ્યારે તમે તેઓને શિક્ષા કરો, ને તેઓ પોતાના પાપથી ફરે;


તે વરસાદને અટકાવી રાખે છે, એટલે [જમીન] સુકાઈ જાય છે; વળી તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિને ઊથલપાથલ કરે છે.


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.


“હે મનુષ્યપુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકાવૃક્ષનું ખંડન કરું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.


અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, ને હું તમારા આકાશને લોઢાના જેવું, ને તમારી જમીનને પિત્તળના જેવી કરીશ.


એ માટે તમારે લીધે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે, ને પૃથ્વીની નીપજ બંધ પડી છે.


પૃથ્વી પરની પ્રજાઓમાંથી જે કોઈ [પોતાના] રાજા, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવાને યરુશાલેમ નહિ જાય, તેમા પર વરસાદ આવશે નહિ.


દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી


જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ, તો તું તારણ પામીશ


અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે, “એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”


સાવચેત રહો, રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો.


અને યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠે, ને તે આકાશ બંધ કરે, જેથી વરસાદ ન થાય, અને જમીન પોતાની ઊપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલદી નાશ થાય.


તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે, અને તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપવા માટે, યહોવા તારે માટે પોતાનો અખૂટ ભંડાર, એટલે આકાશ ઉઘાડશે. અને તું ઘણી દેશજાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહિ.


તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે, તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહિ. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જયારે જયારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક [જાતની] આફત લાવે.


Lean sinn:

Sanasan


Sanasan