Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે, તે તેમની પ્રત્યે પાળો; એટલે ‘મારી સમક્ષ તમને ઇઝરાયલના રજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ; જો, જેમ તું મારી સમક્ષ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારાં છોકરાં કેવળ પોતાના માર્ગ વિષે સાવચેત રહે તો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, ‘મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:25
12 Iomraidhean Croise  

જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે તે ફળીભૂત કરે, એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હ્રદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે, તો તેણે કહ્યું કે, ઇઝરાયલના રાજ્યાસન પર [બેસનાર] માણસની ખોટ તને પડશે નહિ.


સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો; એટલું જ કે તે ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતો હતો, ને ધૂપ બાળતો હતો.


તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેમની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા, ને તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે છે તેમ.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.


“જો તારા દીકરા મારો કરાર, અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે, તો તેઓનાં સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.”


Lean sinn:

Sanasan


Sanasan