Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી તેણે ગાળેલા કાંસામાંથી “સમુદ્ર” નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:23
13 Iomraidhean Croise  

થાંભલાની ટોચો પર કમળનું કોતરકામ હતુ. એમ થાંભલાનું કામ પૂરુ થયું.


એક સમુદ્ર તથા સમુદ્રની નીચેના બાર ગોધા;


આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.”


આહાઝ રાજાએ જળગાડીઓની તખતીઓ કાપી નાખી. ને તે પરનાં કૂંડા લઇ લીધાં. અને સમુદ્રને પિત્તળના ગોધા પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.


યહોવાના મંદિરમાંના પિત્તળના થાંભલા, જળગાડીઓ તથા પિત્તળનાં સમુદ્રના ટુકડા કરીને કાસ્દીઓ તેમનું પિત્તળ બાબિલ લઈ ગયા.


હદારએઝેરના ટિબ્હાથ તથા કૂન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળનાં વાસણો બનાવ્યાં.


વળી તેણે ઢાળેલો સમુદ્ર બનાવ્યો. તે ગોળ હતો; તેનો વ્યાસ દશ હાથ, અને ઘેરાવો વીસ હાથ હતો, ને તેની ઊંચાઈ પાંચ હાથ હતી.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્‍ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.


કેમ કે જે વખતે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યહોન્યાને તથા યહૂદિયાના તેમજ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો,


યહોવાના મંદિરમાંના પિત્તળના સ્તંભો, પાયાનો, તથા પિત્તળનો જે સમુદ્ર હતો, તેઓને ખાલદીઓએ ભાંગીને કકડેકકડા કરી નાખ્યા, ને તેઓનું તમામ પિત્તળ બાબિલ લઈ ગયા.


જે બે સ્તંભો તથ એક સમુદ્ર, તથા પાયાની નીચે પિત્તળના જે બાર બળદ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવ્યા હતા [તેઓને પણ તેઓ લઈ ગયા]. આ સર્વ પાત્રોના પિત્તળનું વજન બેસુમાર હતું.


Lean sinn:

Sanasan


Sanasan