Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 રાજાએ તેને કહ્યું, ”હું કેટલી વાર તને સોગન દઉં કે, તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પણ આહાબે ઉત્તર આપ્યો, “મારી સાથે યાહવેના નામે બોલતો હોય ત્યારે તારે સાચું જ કહેવું. એ મારે તને કેટલીવાર સમ દઈને કહેવાનું હોય?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી રાજાએ તેને કહ્યું, “હું કેટલી વાર તને સોગન આપું કે, તારે મને યહોવાહને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:16
14 Iomraidhean Croise  

તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મિખાયા, અમે યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, પાછા રહીએ?” મિખાયાએ રાજાને ઉત્તર આપ્યો, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. અને યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”


મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’


રાજાએ તેને કહ્યું, “હું તને કેટલી વાર સોગન દઉ કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજુ કંઈ જ મારી આગળ બોલવું નહિ?”


જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે.


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા [દરવાજાના] નાકામાં પોતાની પાસે બોલાવ્યો; અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક વાત પૂછું છું; મારાથી તું કંઈ પણ ગુપ્ત રાખીશ નહિ.”


અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”


પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.”


અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”


કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.”


અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”


તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan