Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જ્યારે ઇઝબેલે સાંભળ્યું કે, નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે. ત્યારે ઇઝબેલે આહાબને કહ્યું, “ઊઠ, ને યિઝ્એલી નાબોથની દ્રાક્ષાવાડી, જે તે પૈસા લઈને આપવાની ના પડતો હતો તેનો કબજો લે, કેમ કે નાબોથ જીવતો નથી, પણ મરણ પામ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 નાબોથના મૃત્યુનો સંદેશો મળતાંની સાથે જ ઇઝબેલે આહાબને કહ્યું, “નાબોથ હવે જીવતો નથી; તે માર્યો ગયો છે. તો હવે જાઓ, તમને જે દ્રાક્ષવાડી વેચવાની તે ના પાડતો હતો તેનો કબજો લઈ લો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી જયારે ઇઝબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જયારે ઈઝેબેલને ખબર પડી કે, નાબોથ પર પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠો, અને યિઝએલના નાબોથે જે દ્રાક્ષનીવાડી તમને વેંચવાનો ઇન્કાર કર્યો હતો તેનો કબજો લઈ લો; કારણ નાબોથ હવે જીવતો નથી, મરી ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:15
8 Iomraidhean Croise  

એ બિનાઓ પછી એમ થયું કે યિઝ્‍એલી નાબોથની એક દ્રાક્ષાવાડી હતી, તે યિઝ્‍એલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે હતી.


પછી તેઓએ ઇઝબેલેને કહાવી મોકલ્યું, ”નાબોથને પથ્થરે મારવામાં આવ્યો‌ છે, ને તે મરી ગયો છે.”


આહાબે સાંભળ્યું કે નાબોથ મારણ પામ્યો છે, ત્યારે એમ થયું કે આહાબ, યિઝ્એલી નાબોથની દ્ક્ષાવાડીનો કબજો લેવા માટે ત્યાં જવા ઊઠ્યો.


અને તેની પત્ની ઇઝબેલે તેને કહ્યું “તમે ઇઝરાયલનું રાજ ચલાવો છો કે નહિ? ઊઠો, ને રોટલી ખાઓ, ને મનમાં મગ્ન થાઓ; હું તમને યિઝ્‍એલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ.”


અને યોરામે કહ્યું, “તૈયારી કરો.” તને તેઓએ તેનો રથ તૈયાર કર્યો. અને ઇઝરાયલનો રાજા યોરામ તથા યહૂદિયાનો રાજા અહાઝ્યા પોતપોતાના રથમાં બેસીને નીકળ્યા, ને તેઓ યેહૂની સામા આવ્યા. અને તે તેઓને યિઝ્‍એલી નાબોથના વાટામાં મળ્યો.


તું તારા ધણી આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝબેલ પર વાળું.


કેમ કે તેઓ દુષ્ટતાને અન્‍ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.


Lean sinn:

Sanasan


Sanasan