Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક [માર્યા જશે].”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાહના વચન છે, ‘જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેના સૈનિકોના બદલે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:42
11 Iomraidhean Croise  

અને નાથાને દાઉદને કહ્યું, “તમે જ તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો,


અને [બેન-હદાદે] તેને કહ્યું, “જે નગરો મારા મારા પિતાએ તમારા પિતા પાસેથી લઈ લીધાં હતાં, તે હું પાછાં આપીશ. અને જેમ મારા પિતાએ સમરુનમાં ચોકચૌટા બનાવ્યાં હતાં તેમ તમે પોતાને માટે દમસ્કસમાં બનાવજો.” અને [આહાબે કહ્યું] “હું આ શરતે તમને જવા દઈશ.” એમ આહાબે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો.


અને રાજા તેની પડખે થઈને જતો હતો, ત્યારે તેણે રાજાને હાંક મારીને કહ્યું, “તારો દાસ યુદ્ધમાં ગયો હતો. અને જો, એક માણસે એક બાજુએથી અવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું, ‘આ માણસને પકડી રાખ. જો કોઈ પણ રીતે તે જતો રહેશે, તો તેના જીવને બદલે તારો જીવ જશે, અથવા તો તારે એક તાલંત રૂપું આપવું પડશે.’


અને તેણે ઉતાવળથી પોતાની આંખ પરથી પટકો કાઢી નાખ્યો, એટલે ઇઝરયલના રાજાએ તેને ઓળખ્યો કે તે પ્રબોધકોમાંનો છે.


ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું સૈન્ય એકત્ર કર્યું, ને ચઢી આવીને સમરુનને ઘેરી લીધું.


હઝાએલે તેને પૂછ્યું, “મારા મુરબ્બી શા માટે રડો છો?” એણે ઉત્તર આપ્યો, “તું ઇઝરાયલી લોકો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવારથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરીશ, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”


જે કોઈ સમર્પિત થયેલો, જેનું સમર્પણ માણસોમાંથી થયેલું તે છોડાવી લેવાય નહિ, તેને જરૂર મારી નાખવો.


કેમ કે તેં યહોવાની વાણી માની નહિ, ને અમાલેક પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહિ, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan