Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે તારા ડહાપણ પ્રમાણે વર્તજે, ને તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તારે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે તો તું સમજે છે. તું તેને કુદરતી મોતે મરવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:6
18 Iomraidhean Croise  

પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”


અને તમારા જીવના રક્તનો બદલો હું ખચીત માગીશ. હરેક પશુની પાસેથી હું તે માગીશ. અને માણસની પાસેથી, એટલે હરેક માણસના ભાઈ પાસેથી એટલે હરેક માણસના ભાઈ પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ.


માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.


અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


પણ ‘ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય, કેમ કે તારા ભાઈ આબ્શાલોમથી હું નાસતો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા.


પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”


તે માટે, જો, મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે; જો, મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હ્રદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, ને તારા જેવો કોઈ થશે પણ નહિ.


માટે જો, હું તને તારા પોતૃઓની ભેગો મેળવી દઈશ, ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે, ને જે સઘળી વિપત્તિ હું આ જગા પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ, ’” પછી તેઓએ પાછા આવીને રાજાને ખબર આપી.


નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે.


જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે, અને તેઓ ઉપર ચક્‍કર ફેરવે છે.


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


યહોવાએ કહ્યું છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”


તે શાંતિમાં પ્રવેશ કરે છે; જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.


દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, ” એમ મારા ઈશ્વર કહે છે.


ત્યાંથી ફરી [થોડા] દિવસોનું ધાવણું બાળક, અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહિ; કેમ કે જુવાન સો વરસની વયનો છતાં શાપિત થશે.


એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.


Lean sinn:

Sanasan


Sanasan