Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તેની જગાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો. અને અબ્યાથારની જગાએ રાજાએ સાદોક યાજકને નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:35
19 Iomraidhean Croise  

પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા દાસ સુલેમાનને તેણે નોતર્યા નથી.


રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.


એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.


એમ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજકપદ પરથી બરતરફ કર્યો; જેથી શીલોમાં એલીના કુટુંબ વિષે જે વચન યહોવા બોલ્યા હતા તે તે પૂરું કરે.


યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો; સાદોક તથા અબ્યાથાર યાજકો હતા;


દાઉદે સાદોક તથા આબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, તથા અમિનાદાબ, એ લેવીઓને બોલાવ્યા,


દાઉદે તથા એલાઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા.


ત્રીજા મહિનાની ટોળીનો ત્રીજો સરદાર યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.


તેઓએ તે દિવસે મોટા હર્ષથી યહોવાની આગળ ખાધુંપીધું. તેઓએ દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા ઠરાવ્યો, તેઓએ તેને અધિપતિ તરીકે તથા સાદોકને યાજક તરીકે યહોવાની આગળ અભિષિક્ત કર્યા.


અબિશુઆના પુત્ર બુક્કીના પુત્ર ઉઝ્ઝીના પુત્ર


તે અદભુત રીતે સમર્થ માણસને ભાંગીને ચૂરા કરે છે, અને તેમની જગાએ બીજાઓને સ્થાપન કરે છે.


તેના દિવસો થોડા થાઓ. અને તેનો હોદ્દો બીજો લઈ લો.


ઉત્તર તરફના મોંવાળી ઓરડી તે વેદીનું કામ કરનાર યાજકોને માટે છે. એ સાદોકના વંશજો છે, તેઓ લેવી-પુત્રોમાંથી યહોવાની સેવા કરવાને તેમની હજૂરમાં આવે છે.”


પ્રભુ યહોવા કહે છે કે, સાદોકના સંતાનના લેવી યાજકો, જે મારી સેવા કરવા મારે મારી હજૂરમાં આવે, તેઓને તારે એક જુવાન ગોધો પાપાર્થર્પણને માટે આપવો.


કેમ કે ગીતશાસ્‍ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.”


અને મારા અંત:કરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે માટે ઊભો કરીશ. સ્થિર [રહે એવું] ઘર હું તેને માટે બાંધીશ. અને મારા અભિષિક્તની સંમુખ તે સદા ચાલશે.


Lean sinn:

Sanasan


Sanasan