Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 સુલેમાન રાજાને ખબર મળી કે, યોઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે, ને જુઓ, તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું, “જા, તેના પર તૂટી પડ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 યોઆબ ત્યાં નાસી ગયો છે અને વેદી પાસે છે એવી ખબર મળતાં શલોમોન રાજાએ યોઆબ શા માટે વેદી પાસે જતો રહ્યો છે તે પૂછવા સંદેશક મોકલ્યા. યોઆબે જવાબ આપ્યો કે તે શલોમોનથી ગભરાઈને પ્રભુ પાસે નાસી ગયો છે. તેથી શલોમોન રાજાએ યોઆબને મારી નાખવા બનાયાને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, યોઆબ યહોવાના પવિત્રમંડપમાં ભાગી ગયો છે, અને ત્યાં વેદી પાસે છે. ત્યારે સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને પૂરો કર.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:29
9 Iomraidhean Croise  

અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.


બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું, “રાજા એમ કહે છે, કે તું બહાર નીકળ, ” યોઆબે કહ્યું, “ના; હું તો અહીં જ મરીશ.” બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે, યોઆબે આમ કહ્યું ને તેણે મને આવો ઉત્તર આપ્યો.


રાજાએ તેને કહ્યું, “જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ, ને તેને દાટી દે; જેથી યોઆબે વગર કારણે પાડેલા રકત [નો દોષ] તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.


પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી, અને તેણે બહાર નીકળીને શિમઈ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


વૃદ્ધ પુરુષોને, જુવાનોને તથા યુવતીઓને, ને નાનાં બાળકોને તથા સ્ત્રીઓને સંહારીને તેમનો નાશ કરો. પણ જે માણસ [ના કપાળ] પર ચિહ્‍ન હોય તેની નજીક તમે જતા નહિ. તમે મારા પવિત્રસ્થાનથી માંડીને શરૂઆત કરો.” ત્યારે તેઓએ [યહોવાના] મંદિર આગાળ જે વડીલો હતા તેમનાથી શરૂઆત કરી.


કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં તેનો આરંભ થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે?


Lean sinn:

Sanasan


Sanasan