Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 14:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે પાપો યરોબામે કર્યાં છે અને જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે યહોવાહ ઇઝરાયલને તજી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 14:16
36 Iomraidhean Croise  

અને આ વાત પાપરૂપ થઈ પડી, કેમ કે લોકો એકની [પૂજા કરવા માટે] દાન સુધી જતા હતા.


અને એ વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડી.


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તે પોતાના પિતાના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તે યરોબામના માર્ગમાં ને એના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાં ચાલ્યો.


તેને લીધે યહોવા પોતાનું વચન યેહૂ પ્રબોધક દ્વારા બાશાની વિરુદ્ધ બોલ્યા હતા, તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો નાશ કર્યો.


યરોબામના માર્ગમાં, તથા ઇઝરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં‍ ચાલવાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે જે પાપ કર્યા, તેને લીધે [તે મર્યો].


“મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર અધિકારી ઠરાવ્યો. પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે, ને તેં મારા ઇઝરાયલ લોક પાસે પાપ કરાવીને તેમનાં પાપથી મને રોષ ચઢાવ્યો છે.


હવે ઓમ્રીનાં કરેલાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


અને તેં મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે, ને તેં ઇઝરાયલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક, ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ.


અને તેના પિતાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બાલની સેવા કરી, ને તેની ભક્તિ કરી, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં.


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને નબાટના દીકરા યરોબામનાં પાપો જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું; તે તેણે તજ્યાં નહિ.


તોપણ યરોબામના કટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે કરતાં તેઓ અટક્યા નહિ, પણ તે કરવાં તેઓએ ચાલુ રાખ્યાં અશેરા [મૂર્તિ] પણ સમરુનમાં રહી.).


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં સર્વ પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહિ.


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહિ.


તેના પિતૃઓએ કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરયલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાંથી તે દૂર રહ્યો નહિ.


યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.


એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં જ છે.


વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


વળી બેથેલમાં જે વેદી હતી તેને, ને નબાટનો દીકરો યરોબમ, જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેના બનાવેલા ઉચ્ચસ્થાનને, એટલે તે વેદીને તથા ઉચ્ચસ્થાનને પણ તેણે તોડી પાડ્યા. તેણે તે ઉચ્ચસ્થાનને બાળી નાખીને તેનો કૂટીને ભૂકો કર્યો, ને અશેરાને બાળી નાખી.


તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.


ઇઝરાયલના રાજા આહાઝને લીધે યહોવાએ યહૂદિયાને નમાવ્યું, કેમ કે તે યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો, ને યહોવાની આજ્ઞાનું ઘણું ઉલ્લંઘન કર્યું હતું.


માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


અને મૂસાએ જોયું કે લોકો છકી ગયા છે; કેમ કે હારુને તેમને છકી જવા દઈને તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધઅ હતા;


અને જે વાછરડું હારુને બનાવ્યું હતું, તે બનાવ્યાને લીધે યહોવા લોકો પર માર લાવ્યા.


તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત જ તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


Lean sinn:

Sanasan


Sanasan