Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 વળી જે વેદી તેણે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમાં માસમા, પંદરમે દિવસે તે ગયો, અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું, ને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 તેણે પોતે ઠરાવેલ દિવસે, એટલે આઠમા મહિનાની પંદરમી તારીખે, ઇઝરાયલના લોકો માટે પોતે સ્થાપેલ ધાર્મિક પર્વોત્સવની ઉજવણી નિમિત્તે પોતે બેથેલમાં જઈને વેદી પર બલિનું દહન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:33
11 Iomraidhean Croise  

અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.


અને તે કિનારી તમને એ કામમાં આવે કે, તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંત:કરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેમની પઅછળ ન લાગો;


અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો, અને એવાં ઘણાં કામો તમે કરો છો.”


તો તે ભલે પોતાના પિતાનું કે પોતાનાં માનું સન્માન ન કરે, ’ એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.


તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો, ને ગાથનો, યાબ્નેનો તથા આશ્દોદનો કોટ તોડી પાડ્યા. તેણે આશ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યાં.


માટે મેં કહ્યું કે, હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ધસી આવશે, ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી; તેથી મેં મારું મન મારીને દહનીયાર્પણ ચઢાવ્યું છે.”


રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે રાજાએ તે વેદી જોઈ; અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચઢાવ્યાં.


એમ તેઓ યહોવાનો ડર રાખતા હતા, ને તેઓ પોતાને માટે ઉચ્ચસ્થાનોના યાજકો પોતામાંથી જ ઠરાવતા. તેઓ તેમને માટે ઉચ્ચસ્થાનોનાં મંદિરમાં યજ્ઞ કરતા.


પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan