Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ; કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો કે, જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવાહ તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:15
27 Iomraidhean Croise  

પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા.


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


માટે યહોવાએ સુલેમાનને કહ્યું, “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યાં હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂચવી લઈને તારા ચાકરને તે આપીશ.


‘યહોવા આમ કહે છે, તમે ચઢાઈ ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ ન કરશો, સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે, ’” માટે તેઓ યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા.


માટે હવે, યહોવાએ આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તમારું અહિત ઊચર્યા છે.”


માટે હવે તમારે જાણવું કે, યહોવા આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એકે વચન અફળ જનાર નથી; કેમ કે યહોવા પોતાના સેવક એલિયા મારફતે જે બોલ્યા હતા, તે તેમણે પૂરું કર્યું છે.”


માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાનું વચન જે તેમણે પોતાના સેવક તિશ્બી એલિયા ધ્વારા કહ્યું હતું તે આ છે કે, ‘ઇઝબેલનું માસ યિઝ્‍એલના વાંટામાં કૂતરાં ખાશે;


આ પ્રમાણે રાજાએ લોકોનું કહેવું ગણકાર્યું નહિ, કેમ કે એ ઈશ્વર [ની ઇચ્છા] પ્રમાણે થયું હતું, જેથી યહોવાએ શીલોની આહિયા દ્વારા નબાટના પુત્ર યરોબામને જે વચન આપ્યું હતુંતે તે પૂરું કરે.


આહાઝ્યા યહોરામને જોવા ગયો તેથી ઈશ્વર તરફથી તેનો નાશ નિર્મિત થયો હતો, કેમ કે ત્યાં ગયા પછી તે યહોરામની સાથે નિમ્શીનો દિકરો યેહૂ કે, જેને યહોવાએ આહાબના કુટુંબનો નાશ કરવા માટે અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો.


પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


પણ અમાસ્યા તેનું સાંભળવા ચાહતો નહતો. તેઓએ અદોમના દેવોની ઉપાસના કરી હતી, તથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દેવાનું ઈશ્વર તરફથી નિર્માણ થયું હતું.


હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની જ યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે.


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.


જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.


પણ હેશ્બોનના રાજા સિહોને પોતાના [દેશ] માં થઈને આપણને જવા દેવાની ના પાડી. કેમ કે યહોવા તારા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું, ને તેનું હ્રદય હઠીલું કર્યું હતું કે, તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજ છે તેમ.


પણ તેનાં માતાપિતા જાણતાં નહોતાં કે એ યહોવાનું [કૃત્ય] છે; કેમ કે તે પલિસ્તીઓની વુરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.”


Lean sinn:

Sanasan


Sanasan