Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો, ને વડીલોએ તેને જે સલાહ આપી હતી તેનો ત્યાગ કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 રાજાએ મોટી ઉંમરના માણસોની સલાહ અવગણી અને લોકો સાથે કડકાઈથી વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:13
21 Iomraidhean Croise  

પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.


“જે માણસ તે દેશનો ઘણી છે તેણે અમને કઠોર વચનો કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા.


અને યૂસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા. પણ તે પારકાની જેમ તેઓની સાથે વત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછયું, “તમે ક્યાંથી આવ્યા?” અને તેઓએ તેને કહ્યું, “કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.”


અને ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, “રાજામાં અમારા દશ ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતાં અમારો [હક] વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહિ?” અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા.


રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા.


અને પેલા જુવાનિયાઓની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝુંસરી ભારે કરી પણ હું તો તમારી ઝૂંસરી વધારીશ; મારા પિતા તમને ચાબખાથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછુઓથી શિક્ષા કરીશ.”


અને ફારુને તેને કહ્યું, “મારી પાસેથી જા, ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે.”


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.


સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે.


જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


ગરીબ કાલાવાલા કરે છે; પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.


જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.


વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે, અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. એ પણ વ્યર્થતા છે.


પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.


ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારા પિતા તને કઠોરતાથી ઉત્તર આપે, તો મને તે કોણ કહેશે?”


Lean sinn:

Sanasan


Sanasan