Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જીવતા યહોવા કે જેમણે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે, તેમના સમ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29-30 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:29
19 Iomraidhean Croise  

જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસહાકનું નામ મૂકો; અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.”


તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો. અને તેણે નાથાનને કહ્યું, “જીવતા યહોવાના સમ, જે માણસે એ [કૃત્ય] કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે;


દાઉદે રિમ્મોન બેરોથીના દિકરા રેખાબ તથા તેના ભાઈ બાનાને ઉત્તર આપ્યો, “જીવતા યહોઆ જેમણે મારા જીવને સર્વ વિપત્તિઓમાંથી બચાવ્યો છે, તેમના સોગન


ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યો, “બાથ-શેબાને મારી પાસે બોલાવો.” એટલે તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.


ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


તમારા ઇશ્વર યહોવાના જીવના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યુ. ‘તે અહીં નથી, ’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.


તો હવે જીવતા યહોવા કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, ને મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે, ને મારે માટે ઘર કર્યું છે, તેમના સમ કે અદોનિયા નક્કી આજે માર્યો જશે.”


છોકરાની માએ કહ્યું, “યહોવાના જીવના તથા તમારા જીવના સમ કે હું તમને મૂકવાની નથી.” તેથી તે ઊઠીને એની પાછળ ગયો.


પણ એલિશાએ કહ્યું, “યહોવા જેમની સામે હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે, હું કંઈ પણ લઈશ નહિ.” તેણે તે લેવા એલિશાને આગ્રહ કર્યો; પણ એણે માન્યું નહિ.


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


જેમણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.


જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;


તેણે કહ્યું, “તેઓ મારા ભાઈ, મારા સહોદર ભાઈ, હતા. હું જીવતા યહોવાની પ્રતિ લઈને કહું છુમ કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.”


કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગન ખાઈને [હું કહું છું કે] તે મારો દીકરો યોનાથાન હશે તોપણ તે ખચીત માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.


અને શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું, ત્યારે શાઉલે જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “તે માર્યો જશે નહિ.”


અને જો, હું છોકરાને એમ કહીને મોકલીશ કે, ‘જા બાણ શોધી કાઢ.’ જો હું છોકરાને કહું કે, જો, બાણો તારી આ તરફ છે, ’ તો તે લઈને આવજે. કેમ કે જીવતા યહોવાના સમ કે, ત્યારે તો તું સહીસલામત છે, ને કંઈ વિધ્ન નથી.


Lean sinn:

Sanasan


Sanasan