Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તો હવે કૃપા કરીને અહીં આવો, હું તમને એવી સલાહ આપું કે, તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:12
14 Iomraidhean Croise  

અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”


તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, હે મારા સ્વામી રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, ‘તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે, ને તે મારા રજ્યાસન પર બેસશે?’ ત્યારે અદોનિયા કેમ રાજા થઈ બેઠો છે?


નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”


હવે અહાઝ્યાની મા અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને આખા રાજવંશનો નાશ કર્યો.


હવે યહોરામે પોતાના પિતાના રજ્યાસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાંક સરદારોને પણ તરવારથી મારી નાખ્યાં.


આહાઝ્યાની મા અથાલ્યાને ખબર પડી કે, પોતાનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને યહૂદિયાના કુટુંબના સર્વ રાજકુંવરોનો નાશ કર્યો.


જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.


સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.


દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે; માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.


જેમ અત્તર તથા સુગંધીથી હ્રદયને હર્ષ થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.


ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “જો હું તમને ખરી વાત કહું, તો શું તમે ખરેખર મને મારી તો નહિ નાખો ને? જો કે હું તમને સલાહ આપું, તોપણ તમે મારું સાંભળવાના નથી!”


પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan