Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે, પ્રેમથી તથા નમ્રતાથી આવું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે શું પસંદ કરો છો: હું તમારી પાસે તમને શિક્ષા કરવા આવું તે, કે પછી તમારી પાસે પ્રેમ અને નમ્રતા લઈ આવું તે?

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:21
16 Iomraidhean Croise  

જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં, એવું સમજીને કેટલાક અભિમાની થઈ ગયા છે.


તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે.


પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.


અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.


કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને અર્થે નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને અર્થે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ હું શરમાઉં નહિ.


મેં તિતસને વિનંતી કરી, અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા [ની પ્રેરણા] પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?


જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી ન વર્તું, એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું.


મેં આગળથી કહ્યં છે, અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હુતું તેમ હું હમણાં ગેરહાજર છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે, જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહિ.


પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે, હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહિ આવું.


અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.


અને એ રીતે જોતાં જે ગૌરવવાળું હતું તે તેના કરતાં અધિક ગૌરવ [વાળી ધર્મસંસ્થા] ના કારણથી, જાણે ગૌરવરહિત થયું.


ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પ્રલોભનમાં પડે.


પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા.


પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.


Lean sinn:

Sanasan


Sanasan