Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 શાલુમ કોરહીનો જ્યેષ્ઠ પુત્ર માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને તવા પર શેકાયેલી ચીજો [સંભાળી રાખવાનું] કામ સોંપવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:31
10 Iomraidhean Croise  

અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું.


અર્પણ કરેલી રોટલીને માટે તથા બેખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલાં ખાદ્યાર્પણના મેંદાને માટે, તથા સર્વ જાતનાં તોલ તથા માપને માટે પણ [હાજર રહેવું].


દ્વારપાળો:શાલુમ, આક્કુબ, ટાલ્મોન, અહિમાન તથા તેઓના ભાઇઓ; તેઓમાં શાલુમ મુખ્ય હતો,


કોરાહના પુત્ર એલ્યાસાફના પુત્ર કોરેનો પુત્ર શાલુમ, ને તેના પિતાના કુટુંબના તેના ભાઈઓ, એટલે કોરાહીઓ, સેવાના કામ પર હતા. તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું નાકું સંભાળનારા હતા.


એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓને દાઉદે તથા શમુએલ દષ્ટાએ તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.


કેમ કે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા, અને ઈશ્વરના મંદિરની ઓરડીઓ પર તથા ભંડારો પર નીમેલા હતા.


અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય.


અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું.


અને ખાદ્યાર્પણનો નિયમ આ છે. હારુનના પુત્રો તેને યહોવાની સમક્ષ વેદી સામે ચઢાવે.


તેને કઢાઈમાં તેલથી તળવો. જયારે તે તળાઈ રહે ત્યારે તેને અંદર લાવવો, તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવા પ્રત્યે સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.


Lean sinn:

Sanasan


Sanasan