Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એમ સર્વ ઇઝરાયલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં નોધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:1
22 Iomraidhean Croise  

યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, એ જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.


તે બધા યરુશાલેમવાસીઓને, બધા અમલદારોને તથા પરાક્રમી યોદ્ધાઓને, એટલે દશ હજાર બંદીવાનોને, તથા બધા કરીગરોને તથા કસબી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહિ.


નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબિલ લઈ ગયો. રાજાની માને તથા રાજાની સ્ત્રીઓને, તેના કારભારીઓને તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે યરુશાલેમથી બાબિલમાં ગુલામગીરીમાં લઈ ગયો.


બધા બળવાન માણસો એટલે સાત હજાર, અને એક હજાર કારીગરો તથા કસબી માણસો, જે સર્વ મજબૂત તાથા યુદ્ધને માટે લાયક હતા, તે સર્વને બાબિલનો રાજા બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.


ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો, એટલે એકસો પચાસ હતા. એ સર્વ બિન્યામીનનાં વંશના હતાં.


તેથી તેઓની વિરુદ્ધ યહોવા આશૂરના રાજાના સેનાપતિઓને લાવ્યા. અને તેઓ મનાશ્શાને સાકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.


બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકને બંદિવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ તેઓ આ પ્રમાણે છે:


તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે:


લોકોના સરદારો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક [માણસ] પવિત્ર નગર યરુશાલેમમાં વસવા માટે જાય, અને [બાકીના] નવ બીજા નગરોમાં [રહે].


મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું,


જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં એઓએ પોતાની વંશાવળી શોધી, પણ તે મળી નહિ. માટે તેઓ યાજકપદમાંથી ભ્રષ્ટ થયા.


શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોષી તથા વડીલ,


દક્ષિણનાં નગરો ઘેરાઈ ગયાં છે, તેઓમાં પ્રવેશનાર કોઈ નથી; યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં, હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.


પછી નગરમાં જે લોકો રહ્યા હતા, ને જેઓ તેના પક્ષમાં ગયા હતા, તથા [એ સિવાય] જે લોકો બાકી રહ્યા હતા, તેઓને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.


પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan