Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓએ સરખી રીતે, નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે, ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ સૌએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું - પછી તે યુવાન હોય કે વૃદ્ધ, નિષ્ણાત હોય કે શિખાઉ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કામની વહેંચણી માટે જુવાન ઘરડા, ઉસ્તાદ અને શાગીર્દ સૌએ ચિઠ્ઠી નાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:8
13 Iomraidhean Croise  

લેવીઓનો મુખ્ય કનાન્યા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો, માટે તે રાગરાગણીની તાલીમ આપતો હતો.


તેઓએ પણ પોતાના ભાઈ હારુનપુત્રોની જેમ દાઉદ રાજાની, સાદોકની, અહીમેલેખની તથા યાજકો ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચિઠ્ઠીઓ નાખી; એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી.


ચિઠ્ઠી નાખીને તે બન્ને ટોળિઓના સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલાઝારના પુત્રોમાંથી તેમ જ ઇથામારના પુત્રોમાંથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નીમવામાં આવ્યા હતા.


ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.


પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.


તેઓએ, એટલે નાનાએ તેમ જ મોટાએ, પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે, દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.


શુપ્પીમ તથા હોસાની પશ્ચિમ તરફની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર, શાલ્લેખેથ દરવાજા પાસેની [જગાની] એટલે સામસામી બીજી ચોકીની નીકળી.


તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.


લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા.


ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.


અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે:એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે.


પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.


Lean sinn:

Sanasan


Sanasan