Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદે યોઆબને તથા લોકોના આગેવાનોને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે છેક દાન સુધી ઇઝરાયલની ગણતરી કરો. અને ખબર કાઢીને મારી પાસે આવો કે, તેઓની કુલ સંખ્યા કેટલી છે તે હું જાણું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદે યોઆબ અને બીજા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો, “જાઓ, બેરશેબાથી દાન લગી આખા ઇઝરાયલની વસ્તી ગણતરી કરો અને પછી મને તેમની જનસંખ્યા જણાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:2
14 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


માટે હું એ સલાહ આપું છું કે, દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલ કે, જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે, તેઓને તમારી પાસે એક્ત્ર કરવામાં આવે, અને તમે પોતે લડાઈમાં જાઓ.


માટે સવારથી તે ઠરાવેલા વખત સુધી યહોવાએ ઇઝરાયલમાં મરકી મોકલી. અને દાનથી તે બેરશેબા સુધીમાં લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યાં.


તેમ જો હું ન કરું તો ઈશ્વર મારી સાથે કડકમાં કડક રીતે વર્તો.”


સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.


માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું એવી જાહેરાત બેર-શેબાથી તે દાન સુધી આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે [નિયમશાસ્ત્રમાં] ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાછું વાળ્યુ નહોતું.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.


અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે, યહોવાના પ્રબોધક તરીકે શમુએલ નિમાયો છે.


Lean sinn:

Sanasan


Sanasan