Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ કાયમ રહે, તે માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવા, તમે તેને આશીર્વાદ આપ્યો છે, ને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 “તો હવે મારા વંશજોને આશિષ આપો કે જેથી તેઓ તમારી કૃપા સતત પ્રાપ્ત કરતા રહે. પ્રભુ, તમે તેમને આશિષ આપી છે, તો એ આશિષ તેમના પર હરહંમેશ રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે, માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવાહ, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 આ સેવકના વંશને આશીર્વાદ આપવાની કૃપા કરશો, જેથી તે સદાસર્વદા તમારી નજર નીચે રહે. જ્યારે તમે તમારા આશીર્વાદ આપ્યા છે, તો એ આશીર્વાદ હંમેશા માટે રહો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:27
12 Iomraidhean Croise  

અને ઇસહાક બહુ થરથર ધ્રૂજ્યો, ને બોલ્યો ‘ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે આશીર્વાદિત થશે પણ ખરો.”


એમ તેઓનું રકત યોઆબના માથા પર તથા તેના સંતાનના માથા પર સદા રહેશે.પણ દાઉદને, તેના સંતાનને, તેના કુટુંબને, તથા તેના રજ્યાસનને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે.”


પણ સુલેમાન રાજા પર તો આશીર્વાદ આવશે, ને દાઉદનું રાજ્યાસન યહોવાની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”


હે યહોવા, તમે ઈશ્વર છો, ને તમે તમારા સેવકને શુભ વચન આપ્યું છે.


દાઉદે પલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા, ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસબાઓ લઈ લીધાં.


તો પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે; કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે. અને યહૂદાના કૂળમાંથી મારા પિતાના કુટુંબને [પસંદ કર્યું છે] અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે.


કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.


તેઓનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે.


જુઓ, આશીર્વાદ આપવાની [આજ્ઞા] મને મળી છે. અને તેમણે આશીર્વાદ આપ્યો છે, ને હું તે ઉલટાવી નાખી શકતો નથી.


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


કેમ કે તને આપેલા વચન પ્રમાણે, યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે; અને તું ઘણી દેશજાતિઓનો લેણદાર થશે, પણ તું દેવાદાર થશે નહિ. અને તું ઘણી દેશજાતિઓ પર અમલ ચલાવશે, પણ તેઓ તારા પર અમલ નહિ ચલાવે.


Lean sinn:

Sanasan


Sanasan