Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પહેલાંની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલ લોકોનું ઉપરીપણું કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. અને હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે, યહોવા તારું કુટુંબ કાયમ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જ્યારે મે મારા લોકો ઇસ્રાએલીઓ પર ન્યાયાધીશો નિયુકત કર્યા હતા. પરંતુ તારા સર્વ શત્રુઓને તારે શરણે લાવીશ, અને હું હવે જાહેર કરું છું, હું તારા વંશજોને રાજા બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:10
16 Iomraidhean Croise  

એટલે પહેલાંની માફક, તથા જે દિવસે મારા ઇઝરાયલ લોકો પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની માફક, તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુ:ખ આપશે નહિ; અને હું તને તારા સર્વ શત્રુઓથી [બચાવીને] વિસામો પમાડીશ.’ વળી યહોવા તને કહે છે, ‘યહોવા તારે માટે ઘર બાંધશે.


તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ.


હું મારા ઇઝરાયલ લોકને માટે જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે, તેઓ પોતાના સ્થળમાં રહે ને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહિ.


યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


તેની આગળ હું તેના વૈરીઓને પાડી નાખીશ, અને તેના દ્વેષીઓને મારી નાખીશ.


અને એમ થયું કે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી માટે ઈશ્વરે તેઓને કુટુંબવાળી કરી.


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.


અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો; કેમ કે તેની પાસે લોઢાના નવસો રથ હતા. અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલી લોકો પર બહુ જ જુલમ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan